Sunday 29 April 2018

મારી દ્રષ્ટી એ ભારતીય શિક્ષણ!

મારી દ્રષ્ટી એ ભારતીય શિક્ષણ!

શિક્ષણ? શિક્ષણનો અર્થ સમજવો ગણો જ અગરો છે. આપણે શિક્ષણને માત્ર શાળા, કૉલેજો માં મળતા પુસ્તકિય ઘ્યાન સાથે જ સરખાવીએ છીએ અને કોઈ પણ ને પૂછો તો જવાબ એજ મળશે કે શિક્ષણ એટલે શાળા માં મળતું પાઠ્યપુસ્તક વાળું ઘ્યાન. આ સંદર્ભ માં હું એક નાનકડી વાર્તા રજુ કરું છું.
- અને પંખી શિક્ષીત થયું....  
              (વાર્તા છે, રવીન્દ્રનાથ ટાગોર ની)

એક પંખી, સાવ ગમાર, આખો દિવસ ઊડાઊડ, નવા નવા ફડ ની શોધ, ઊંચે ગગન માં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું આવો એનો ધંધો! ... રાજ્યના રાજા ને લાગ્યું, "અરે! આતો કઈ પંખી છે?" આવું પંખી કઈ કામનું નહિ, આતો ખાલી વન માં ફડ ખાઈ ને રાજ્ય ને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, "આ પંખીનું શું કરીએ?" એક મંત્રી કહે, "મહારાજ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે."

રાજાએ પોતાના વિશ્વાસુ ભાણેજ ને એ પંખીને શિક્ષણ આપવાનું કામ સોંપ્યું! પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો વિચાર કર્યો અને શિક્ષણની નીતિ ઘડી કાઢી. શોધ્યું એના અઘ્યાનનું મૂળ, "અરે! પંખી મામૂલી ઘાસ તણખલાં નો માળો બાંધે, એવા માળા માં તે વિદ્યા કેટલીક રહે? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે." આ હલ શોધનારને મોટું ઈનામ પણ અપાયું કે તેને શિક્ષણની નવી જ દિશા ખોલી આપી!

સોની ને હુકમ થયો કે પાંજરું બનાવો. એને વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂર થી લોકો પાંજરું જોવા આવ્યા. સોની ના વખનનો તો કોઈ પાર નહિ. કોઈક કેહતું કે, "શિક્ષણ તો જોરદાર ચાલે છે!" તો કોઈ કહે "શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને! પંખી નું નસીબ જોરમાં છે!" પાંજરામાં બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા.

એક મહાપંડીત ને તેને શિક્ષણ આપવા બોલાવ્યા. આવતા વેત તેમને કહ્યું કે "આ એક બે ચોપડી થી કઈ ના આવડે, વધુ દળદાર પુસ્તકો જોઈએ." રાતોરાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણો પુસ્તકોનો ઢગલો થઈ ગયો! લોકો તો આ જોઈને આભા જ થઈ ગયા. "વાહ! વાહ! શું શિક્ષણ છે!" ધમધોકાર રીતે પાંખનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. તેની સફાઈ,રંગકામ,પોલિશ,નવી ડિઝાઈન,નવા સાજ શણગાર, જ્યારે જુઓ ત્યારે ચાલુજ હોય! તેના માટે કેટલાય માણસો ને રોકવામાં આવ્યા હતા અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.

હવે તો સૌ બોલી ઉઠ્યા કે "હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે."

એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે પંખીનું શિક્ષણ બરાબર નથી થતું! રાજાએ તો બોલાવ્યો તેમના ભાણેજ ને "આ હું શું સાંભળું છું? કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખી ની નહિ!" ભાનેજે જવાબ આપ્યો "અરે!  લોકોને પંખીની ઊછળકૂદ થી મળતું મનોરંજન બંધ થઈ ગયું છે એટલે બધા વાંધા વચકા કાઢે છે બાકી પૂછો આ સોની,લુહાર,પંડિતજી,સાફસફાઈ કરનાર આ બધા શિક્ષણના જાણકાર છે." રાજાને સંતોષ થયો પણ પછી તેને જાતે જ શિક્ષણ જોવાનું નક્કી કર્યું. રાજા પોહચ્યો ત્યાં તો બધા ભેગા મળી ને એવી વ્યવસ્થા કરી દીધી કે વાતના પૂછો! કોઈ ગોખવતું હોય તો કોઈ ગાવડવતું હોય, તો કોઈ શીખવાડતા હોય નાચ! તામ જામ નવા નવા કવર ચડાવેલા જૂના જૂના પુસ્તકોનો ખડકલો! વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. રાજા તો પ્રસન્ન થઈ ઈનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો, "મહારાજ! પંખીને મળ્યા?" રાજા કહે "અરે હા ! એ તો યાદ જ ના આવ્યું. પંખી ને જોવાનું તો રહિજ ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ". રાજાએ જોયું તો શિક્ષણની પધ્ધતિ પંખીના કરતા એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું જ નહોતું. પધ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તો ય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કઈ જ ખામી નથી.

હવે પાંજરામાં નથી દાણા કે નથી પાણી! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાના ફાડીને કલામની અનીએ એ પંખીના મોમાં ઠાસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખી નો અવાજ પણ બહાર નથી આવતો! બિચારું પંખી જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે જો પાંજરામાં પાંખો ફડફળાવે તો કહે, " આ ગેરશિસ્ત!" કોઈવાર પાંજરાને ચાચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે "આને એના ભવિષ્યની પડી જ નથી!" બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ!

આવું જ કઈક છે આપણું અત્યારનું ભારતીય શિક્ષણ! જ્યાં માત્ર શિક્ષણ ને પુસ્તકીય ઘ્યાન વડે વિદયાર્થી ઓમાં થોપવામાં આવે છે. જ્યારે કોઈ આ શિક્ષણનો બહિષ્કાર કરે તો તેને ભણવું જ નથી કે ભણવામાં રસ જ નથી કહીને એનો બહિષ્કાર થાય છે.

પણ મારી દ્રષ્ટીએ જોવા જઈએ તો વિચાર કઈક આવો છે!

જ્યાં સમય ની કોઈ પાબંધી ના હોય! એટલે કે શિક્ષણ અને સમય ને કોઈ ઘડિયાળ રૂપી કાંટાનો અવરોધ ન મળતો હોય! જ્યાં શિક્ષણ ની પધ્ધતિ અને શિક્ષણ આઝાદ હોય! જ્યાં   શિક્ષણ વિધિયાર્થી ના રસ અને રુચિ હોય એ રીત નું હોય! જ્યાં વિચારશીલતા અને વ્યક્તિગત સ્વતંત્રતા હોય કે જેથી દરેક બાળક એના પોતાના વિચારો સ્વતંત્ર રીતે રજૂ કરી શકે અને શિક્ષક-વિધિયાર્થી વચ્ચે નો ભેદભાવ દૂર થાય! જ્યાં વિધિયાર્થી પોતાના જ વિચારો વડે પોતાનું જ સ્વમુલ્યાંકન કરી શકે અને શિક્ષક-વિધિયાર્થી એકજૂથ થઈ ઘ્યાન પ્રાપ્ત કરે!

શિક્ષણ એવું હોવું જોઈએ કે જે સમાજને ઉપયોગી હોય! દેખવા જઈએ તો આજની શાળા - કોલેજો માં જે શૈક્ષણિક પ્રથા ચાલે છે અને વર્ષો થી ચાલતી આવી રહી છે એના કરતાં આધુનિક આશ્રમો બને તો શિક્ષણ નામનો મોટો ડર સરળતાથી અને સમજપૂર્વક દૂર કરી શકાય. જ્યાં ટેકનોલોજી અને વ્યક્તિગત રસ બને આપની શૈક્ષણિક પ્રથા ને બદલી શકશે કે જે ખરા અર્થમાં ભારતમાં જ નવા નવા યંત્રોની મદદ થી જ ભારતીય સંસ્કૃતિ ને અનુકૂળ હશે!

અંત માં એટલું જ કેહવા માંગીશ કે આયોજન શક્તિઓ ફક્ત પુસ્તકો વાચવાથી કેળવી શકતી નથી! જીવનના કૌશલ્યો તો જીવનમાંથી જ પ્રાપ્ત થાય! એ જ રીતે આપણી કટિબદ્ધ શૈક્ષણિક પધ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે કે જેથી આવનાર પેઢી શિક્ષણને બોજના સમજે અને એમાં જ અભિભૂત થઈ ભારત નું ભવિષ્ય બનાવે!

#જૈમિન પટેલ